ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંભાવ્ય વાચક

From Ekatra Wiki
Revision as of 10:41, 27 November 2021 by Amee (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સંભાવ્ય વાચક(Implied reader)'''</span> : વોલ્ફગાન્ગ આયઝરે અને અભિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


સંભાવ્ય વાચક(Implied reader) : વોલ્ફગાન્ગ આયઝરે અને અભિગ્રહણ સિદ્ધાન્તવાદી કેટલાક વિવેચકોએ આ સંજ્ઞા પ્રચલિત કરી છે. ચોક્કસ સાહિત્યકૃતિ કોઈ સંભાવ્ય વાચકને અનુલક્ષીને લખાતી હોય છે. આ ‘આદર્શ’ વાચકની પોતાની વિશિષ્ટ, નૈતિક તેમજ સાંસ્કૃતિક અભિવૃત્તિઓ હોય છે. જેના દ્વારા સાહિત્યકૃતિનો એ પૂરો આસ્વાદ લઈ શકે છે. આ સંભાવ્ય વાચકને ખરેખરા વાચકથી જુદો તારવવો જોઈએ. ચં.ટો.