પરિષદ-પ્રમુખનાં ભાષણો/૫.
શ્રી નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાનું ભાષણ
પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદ: સુરત
મે ૧૯૧૫
“નાટક ને નવલકથા સિવાયનાં ઘણાંખરાં સાહિત્યનાં ક્ષેત્રોમાં લગભગ પચાસ વર્ષ સુધી એમની હાક વાગતી હતી. ઘણા વિષયોમાં એમનો નિર્ણય અંતિમ ગણાતો. શુદ્ધિ અને સત્યશોધનથી પ્રેરાયેલી આ ભીષ્મપિતામહની આણથી સાહિત્યકારો ને સાહિત્યરસિકો બંને ધ્રૂજતા હતા. ઘણી વાર તો જાણે અચળ ધ્રુવ હોય એમ એ આપણા સાહિત્યવ્યોમમાં શોભતા.”