અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/શ્લોક

From Ekatra Wiki
Revision as of 06:33, 19 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|શ્લોક|}} {{Poem2Open}} મહાદેવભાઈનો વિચાર કરતાં મને હમેશાં આ શ્લોક સ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
શ્લોક

મહાદેવભાઈનો વિચાર કરતાં

મને હમેશાં આ શ્લોક સાંભરે છે:


वदनं प्रसादसदनम्

सदयं हृदयं सुधामुचोवाचः

करणं परोपकरणम्

येपां केपां न ते वंद्यः?


— વિનોબા


સદાય હસતું મુખડું

સદય હૃદય છે સુધાભરી વાચા

પરોપકારી કાર્યો

જેનાં તેને કોણ નહીં વંદે?


— વિનોબા


માત્ર પિતાના શરીરનો અંશ મળવાથી જ પુત્ર પુત્ર નથી બનતો. એ પુત્ર તો ત્યારે બને છે જ્યારે શરીર સાથે પિતાના સદ્વિચારોને પૂરેપૂરા ગ્રહણ કરે. શરીરનો અંશ ન મળે અને જો સદ્વિચાર જ ગ્રહણ થાય તોપણ તેને પુત્રની યોગ્યતા પ્રાપ્ત થાય છે. મહાદેવભાઈ બાપુના એ જ અર્થમાં પુત્ર હતા.


લક્ષ્મણ વિના રામનું કામ થાત જ નહીં. એ સમજીને જ રામ લક્ષ્મણને પોતાની સાથે લઈ ગયા હતા. તુલસીદાસે લખ્યું છે: ‘રામના યશના ઝંડા સારુ લક્ષ્મણ દંડ સમાન બન્યા.’ મહાદેવભાઈની એવી યોગ્યતા હતી એમ કહી શકાય.


— વિનોબા