અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ 'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ/વત્સલનાં નયનો

From Ekatra Wiki
Revision as of 07:41, 21 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> તિમિરાશયનાં ગહને પડતાં, સપનાં વિધુરાં નઝરે પડતાં: સહું તે, પણ ક...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

તિમિરાશયનાં ગહને પડતાં,
સપનાં વિધુરાં નઝરે પડતાં:
સહું તે, પણ કેમ શકાય; સખે! સહી
         વત્સલનાં નયનો રડતાં?

નહિ તે કંઈ દોષભર્યાં નયનો:
પણ નિર્મલ નેહસરોવર સારસ—
યુગ્મ સમાં પરિપૂર્ણ દયારસ:
         એ જખમી દિલનાં શયનો!