સોરઠિયા દુહા/84

From Ekatra Wiki
Revision as of 09:31, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|84| }} <poem> આણંદ કહે કરમાણદા, માણસે માણસે ફેર; (એક) લાખું દેતાં ન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


84

આણંદ કહે કરમાણદા, માણસે માણસે ફેર;
(એક) લાખું દેતાં નવ મળે, એક ટકાનાં તેર

આણંદ કહે છે, કે કરમાણંદ!  માણસ-માણસ વચ્ચે બહુ ફેર હોય છે. કોઈક માનવી એવું હોય છે કે જે લાખ રૂપિયા દેતાંય ન મળે; જ્યારે બીજા કેટલાય તો ટકાના તેર જેવા વાટમાં ભટકતા હોય છે.