સોરઠિયા દુહા/61

From Ekatra Wiki
Revision as of 06:10, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


61

મેમાનુંને માન, દલ ભરી દીધાં નહિ;
(ઈ) મંદિર નૈ મસાણ, સાચું સોરઠિયો ભણે.

ઘેર આવેલા પરોણાનો જે પૂરા પ્રેમથી આદરસત્કાર ન કરતાં હોય તેમનાં ઘર જીવતાં માણસનાં ઘર નહિ પણ સૂના સ્મશાન સમાન છે, એવું સોરઠિયો કહે છે.