સોરઠિયા દુહા/112

From Ekatra Wiki
Revision as of 06:47, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


112

સજણાં પર ઘર જઈ કરી, દુઃખ ન ગાયીં રોય;
ભરમ ગમાવે આપણો, વેંચી ન લિયે કોય.

હે સજણ! પારકે ઘેર જઈને આપણાં દુઃખ રોઈએ નહિ, કારણ કે પારકાં માનવીઓ આપણા દુઃખમાં ભાગીદાર બનવાના નથી; એથી તો ઊલટી આપણી આબરૂ જ જાય છે.