રાજા-રાણી/બીજો પ્રવેશ

Revision as of 06:20, 25 July 2022 by KhyatiJoshi (talk | contribs)


કાનો હજામ : અરે ભાઈઓ! રોવાના દી હવે નથી રહ્યા. ખૂબ રોયા, પણ કાંઈ વળ્યું?

મનજી પટેલ : સાચું કહ્યું, ભાઈ, છાતી કાઢીએ તો બધાં કામ થાય. કહેવત છે કે ‘હિંમતે મરદાં તો મદદે ખુદા’.
કરસન લુવાર : ભીખ માગ્યે કાંઈ ન વળે; આપણે તો લૂંટ કરશું.
કાનો હજામ : સાચું. ખરું કે નહીં, ભાભા? તમે તો બ્રાહ્મણના દીકરા છો. કહો તો, લૂંટફાટમાં કાંઈ પાપ ખરું?
નંદલાલ : જરાય નહીં. ભૂખ ભાંગવામાં કાંઈ પાપ જ ન બેસે. જુઓ, શાસ્ત્રમાં અગ્નિને પાવક કહ્યો છે; અર્થાત્, અગ્નિ વડે સકળ પાપ નષ્ટ થાય. તો પછી જઠરાગ્નિ કરતાં તો મોટી કોઈ આગ જ નથી!
બધા : આગ! હાં, આગ! ઠીક કહ્યું, મહારાજ! જીવતા રહો! તો પછી એમ જ કરીએ. આપણે આગ જ લગાડી દઈએ. અલ્યા ભાઈ! આગમાં કાંઈ પાપ જ ન બેસે, હો! હવે તો એ બધાંનાં ખોરડાં બાળીને મેદાન કરી નાખીએ.
કરસન લુવાર : મારી પાસે ત્રણ ભાલાં છે.
મનજી પટેલ : અને મારી પાસે એક હળ છે. એટલે હવે તો એ તમામ મુગટવાળાઓનાં માથાં, ધૂળનાં ઢેફાંની જેમ, ખેડી જ નાખું.
સલેમાન ઘાંચી : મારી પાસેય એક કુવાડી છે. પણ ભાગતાં ભાગતાં ઘેર ભૂલી ગયો છું.
મનસુખલાલ વાણિયો : અલ્યા, તમે તે શું મરવાના થયા છો? શું બોલો છો? પહેલાં રાજાને વાત સંભળાવો, પછી જો એ ન સાંભળે તો બીજો વિચાર કરશું.
કાનો : હુંયે એમ જ કહું છું.
કરસન : મને પણ એમ જ લાગે છે.
સલેમાન : હું પણ પહેલેથી જ કહું છું કે, ભાઈ, તમે આ વાણિયાના છોકરાને બોલવા દ્યો. ઠીક ત્યારે, ભાઈ, તું રાજાથી ડરીશ નહીંને?
મનસુખલાલ : મને કોઈનો ડર નથી. તમે બધા લૂંટ કરવા તૈયાર થયા, તો પછી હું શું બે વેણ બોલી પણ નહીં શકું?
મનજી : હુલ્લડ કરવું એ એક વાત, અને ભાષણ કરવું એ બીજી વાત. હું તો જોતો આવું છું કે હાથ હાલે, પણ જીભ ન હાલે.
કાનો : મોઢાનું તો કાંઈ કામ જ ન થઈ શકે — અન્ન પણ ન મળે, ને વાત પણ ન બને.
કરસન : ઠીક, પણ તું કહીશ શું?
મનસુખ : હું કાંઈ દબાઈને નહીં બોલું. હું તો સીધો શાસ્ત્ર જ સંભળાવીશ.
સલેમાન : હેઈ ખરાં! તને શાસ્તર પણ આવડે છે કે? ભઈ, હું તો પે’લેથી જ કે’તો’તો કે આ વાણિયાના છોકરાને બોલવા દ્યો — ઈ પંડિત છે.
મનસુખ : બસ, હું તો પાધરું જ શરૂ કરીશ કે :
अति दर्पे हता लङ्का अति माने च कौरव :|
अति दाने बर्लिर्बद्ध: सर्वमत्यन्तं गर्हितम्||
હરિયો કુંભાર : હં, આનું નામ શાસ્તર!
કાનો : [બ્રાહ્મણ પ્રત્યે] કાં ભાભા, તમે તો બ્રાહ્મણના દીકરા છો. કહો, આ શાસ્તર ખરુંને? તમને તો બધુંય આવડતું હશે.
નંદલાલ : હા જ તો, આવડે જ તો, શાસ્તર વાંચ્યાં હોય એટલે જાણીએ જ તો. પણ રાજા જો શાસ્તર નહીં સમજે, તો તું એનો અર્થ શી રીતે સમજાવીશ, કહે તો?
મનસુખ : અર્થાત્, બહુ ચડવામાં માલ નથી.
ઝવેર વાંઝો : અલ્યા, આવડી મોટી બાબતનો આવડો જ અર્થ થયો?
સલેમાન : એમ ન હોય તો પછી શાસ્તર શેનું?
નંદલાલ : બાપા, કુંભાર કણબી જે વાત ટૂંકામાં કહી નાખે, એ જ વાત મોટાં માણસો મોટી રીતે કરે.
મનજી : વાત તો ઠીક છે. પણ ‘બહુ ચડવામાં માલ નથી’ એટલું કહ્યે શું રાજાની આંખ ઊઘડી જશે?
ઝવેર વાંઝો : પણ આ એક શાસ્તરથી નહીં પતે, બીજાં શાસ્તર જોશે.
મનસુખ : તો મારી પાસે તો ભંડાર ભર્યો છે. હું કહીશ કે

लालने बहवो दोषास्ताडने बहवो गुणा :|
तस्मात् मित्रं च पुत्रं च ताडयेत् न तु लालयेत्|| {{Ps