ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અનોપચંદશિષ્ય

Revision as of 09:17, 30 July 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અનોપચંદશિષ્ય [ઈ.૧૮૧૬માં હયાત] : જૈન. ‘માનતુંગમાનવતીસંબંધ-ચોપાઈ’ (૨. ઈ.૧૮૧૬/સં. ૧૮૭૨, માગશર સુદ ૧૩)ના કર્તા. ઈ.૧૭૬૯માં થયેલા ખરતરગચ્છના અનોપચંદના શિષ્ય હોવાનું વિચારણીય. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]