ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદ મુનિ-૧

From Ekatra Wiki
Revision as of 05:45, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


આનંદ(મુનિ)-૧ [ઈ.૧૪૫૧માં હયાત] : રત્નાકરગચ્છના જૈન સાધુ. રત્નસિંહસૂરિના શિષ્ય. સાધ્વીજી ધર્મલક્ષ્મીનું જીવનવૃત્તાંત વર્ણવતા અને એમનો ગુણાનુવાદ કરતા ૫૩ કડીના ‘ધર્મલક્ષ્મીમહત્તરા-ભાસ’ (ર. ઈ.૧૪૫૧; મુ.)ના કર્તા. કૃતિ : જૈઐકાસંચય(+સં.). સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. [કુ.દે.]