ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણરત્ન સૂરિ-૩-ગુણરત્ન સૂરિ શિષ્ય
Revision as of 08:41, 8 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુણરત્ન(સૂરિ)-૩/ગુણરત્ન(સૂરિ)શિષ્ય'''</span> [ઈ.૧૫મ...")
ગુણરત્ન(સૂરિ)-૩/ગુણરત્ન(સૂરિ)શિષ્ય [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : પીંપલગચ્છના જૈન સાધુ. આણંદમેરુને નામે પણ નોંધાયેલી મળતી ‘કાલિકસૂરિ-ભાસ’ના કર્તા ગુણરત્નસૂરિ (ઈ.૧૪૫૭માં હયાત) છે કે એમના શિષ્ય છે તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપુગૂહસૂચી.[ક.શે.]