ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મોહનવિજ્ય-૩

Revision as of 05:09, 8 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મોહનવિજ્ય-૩ [                ] : તપગચ્છના જૈન સાધુ. ગુલાલવિજ્યના શિષ્ય. ૧૫ કડીની પ્લવંગમ છંદની દેશીમાં રચાયેલી, આંતરપ્રાસ, પ્રાસાનુપ્રાસ જાળવતી શ્રાવણથી અસાડ સુધીના બાર માસના નેમિવિરહને વર્ણવતી ‘નેમરાજિમતી-બારમાસા’(મુ.)ના કર્તા. કૃતિ : પ્રામબાસંગ્રહ : ૧. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ. [કા.શા.]