ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાલચંદ ઋષિ-૭

Revision as of 12:17, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લાલચંદ(ઋષિ)-૭ [ઈ.૧૭૭૮માં હયાત] : જૈન સાધુ. ચંદ્રભાણના શિષ્ય. ૧૭ કડીના ‘ચોવીસ જિનવરના કુંવરકુંવરીની સંખ્યાનું સ્તવન’ (ર.ઈ.૧૭૭૮/સં.૧૮૩૪, વૈશાખ સુદ ૯; મુ.)ના કર્તા. કૃતિ : જૈન સ્વાધ્યાય મંગળમાલા : ૨; સં. મુનિ શામજી, ઈ.૧૯૬૨. [શ્ર.ત્રિ.]