ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિમલવિજય-૧

From Ekatra Wiki
Revision as of 04:15, 17 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિમલવિજય-૧ [ઈ.૧૬૯૩ પછી] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં વિજયપ્રભ (ઈ.૧૬૨૧-૧૬૯૩)ના શિષ્ય તરીકે તેઓ નોંધાયા છે, પરંતુ વિજયપ્રભના સીધા શિષ્ય તેઓ હોય એવી સંભાવના ઓછી છે, એટલે તેઓ ઈ.૧૬૯૩ પછી થયા હોવાનું કહી શકાય. તેઓ વિમલવિજય-૨ પણ કદાચ હોઈ શકે. ૫૫ કડીનું ‘અષ્ટાપદ સમેતશિખર-સ્તવન’ (લે. સં. ૧૮મું શતક અનુ.) તથા ૪ ઢાલ અને ૩૭/૩૮ કડીની ‘વિજયપ્રભસૂરિ-નિર્વાણ’ (મુ.)ના કર્તા. કૃતિ : જૈઐકાસંચય. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૨, ૩(૨). [કી.જો.]