કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૩૭. લો રામ રામ
Revision as of 09:08, 14 November 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૭. લો રામ રામ| }} <poem> વિરહમાં ક્યારેક ઘેલા મનને બહેલાવું છું આમ, દ્વાર ખખડાવું છું મારાં લઈને હું મારું જ નામ. આભ-ધરતી બેઉ ચોળે છે લલાટે ગર્વથી, પ્રેમીઓની ભસ્મનો પણ છે બહુ ઊંચો...")
૩૭. લો રામ રામ
વિરહમાં ક્યારેક ઘેલા મનને બહેલાવું છું આમ,
દ્વાર ખખડાવું છું મારાં લઈને હું મારું જ નામ.
આભ-ધરતી બેઉ ચોળે છે લલાટે ગર્વથી,
પ્રેમીઓની ભસ્મનો પણ છે બહુ ઊંચો મુકામ.
મોત ને મોતીમાં ઝાઝું ખાસ કૈં અંતર નથી;
મરજીવા તારી લગનને રૂપની લાખો સલામ.
પ્યાસ કેવી છે સમંદરની નથી એને ખબર,
સાવ પાણીમાં જવાની છે નદીની દોડધામ.
પ્રેમમાં એ રામ પેદા કર કે તારી જિંદગી,
મોત પહેલાં કહી શકે ખુદ મોતને, લો રામરામ.
કેટલા ભોળા છે આ દુનિયાના લોકો, શું કહું?
શૂન્ય છું જાણ્યા છતાં પૂછે છે મારું નામઠામ.
(શૂન્યનો વૈભવ, પૃ. ૩૭૦)