સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઉમાશંકર જોશી/ખુશમિજાજ!
Revision as of 12:10, 26 May 2021 by ArtiMudra(talk | contribs)(Created page with "{{Poem2Open}} {{space}} “તમને કશો રોગ નથી. ચિંતા કર્યા કરવાની આદત પડી લાગે છે! ફિકર...")
“તમને કશો રોગ નથી. ચિંતા કર્યા કરવાની આદત પડી લાગે છે! ફિકરની ફાકી કરી જાઓ, એ જ દવા. જરીક મોલિયેરનાં નાટક જોતા રહો, એટલે ખડખડાટ હસીને તમે ખુશમિજાજ થઈ જશો.”
“દાક્તર સાહેબ, પણ હું મોલિયેર પંડે જ છું!”