પ્રતિસાદ/પ્રારંભિક

From Ekatra Wiki
Revision as of 15:56, 8 September 2023 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search


પ્રતિસાદ



મંજુ ઝવેરી



ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.

મુંબઈ ૦ અમદાવાદ

Pratisadઃ Essays by Manju Zaveri @ મંજુ ઝવેરી

પ્રથમ આવૃત્તિ : ૧૯૯૮

પ્રકાશક :

ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
રજિ. ઑફિસ :
સહજાનંદ પ્રિમાઈસીસ
આચાર્ય ડોન્ડે માર્ગ,
શિવરી મુંબઈ ૪૦૦ ૦૧૫
અમદાવાદ ઓફિસ :
ડી-૩૩, સિલ્વર આક
એલિસબ્રિજ, અમદાવાદ ૩૮૦ ૦૦૬
ફોનઃ ૬૫૮૪૯૬૦
 



શોરૂમ


૧૯૯/૧, ગોપાલ ભવન
પ્રિન્સેસ સ્ટ્રીટ
મુંબઈ ૪૦૦ ૦૦૨
ફોન : ૨૦૦ ૨૬૯૧, ૨૦૦ ૧૩૫૮
૧-૨, અપર લેવલ, સેન્ચૂરિ બજાર
આંબાવાડી સર્કલ, આંબાવાડી
અમદાવાદ ૩૮૦ ૦૦
ફોનઃ ૯૫૬ ૦૫૦૪
 



મૂલ્યઃ રૂ. ૧૨૫.૦૦

આવરણ : અપૂર્વ આશર

લેસર ટાઇપસેટિંગ :

અપૂર્વ આશર, ઇમેજ સિસ્ટમ્સ, ૩૦૧, વૈભવી કોમ્પલેક્સ ફતેહપુરા પોલીસચોકી

પાછળ, પાલડી, અમદાવાદ ૩૮૦ ૦૦૭, ફોન : ૬૬૧ ૦૪૪૧

મુદ્રકઃ

રિદ્ધીશ પ્રિન્ટર્સ,

૯. અજય ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ,

દુધેશ્વર, અમદાવાદ






મા જેવી બેન કુસુમને
અને
મિત્ર જેવા ભાઈ જયંતને


નિવેદન

મારા લેખોનું પ્રથમ પુસ્તક ‘નીરખ ને’ ૧૯૯૨માં પ્રગટ થયું હતું. ફા.ગુ.સ. ત્રૈમાસિકના સંપાદકીય લેખોનો એ સંગ્રહ હતો. આ પુસ્તકમાં એ પછી લખાયેલા લેખો છે. ઇમેજ પબ્લિકેશન્સ અને ખાસ શ્રી સુરેશભાઈ દલાલના ભાવપૂર્વક નિમંત્રણ માટે હું એમની આભારી છું. હસ્તપ્રત તૈયાર કરવા માટે કરેલાં સૂચનો માટે શ્રી મૂકેશ વૈદ્ય અને શ્રી રાધેશ્યામ શર્માની હું ઋણી છું.

મંજુ ઝવેરી
 


જગદીશચંદ્ર બોઝે પોતાની અસ્મિતા (identity) ઊભી કરવાનો યત્ન કર્યો, પણ એ બન્યું નહીં, પણ કહેવું જોઈએ કે યત્ન પ્રભાવી રહ્યો. એમને માટે એક કાળે આત્મવિશ્વાસપૂર્વક હાથે ધરાતી નવી નવી શોધોના એ આશાભર્યા દિવસો હતા જ્યારે વિજ્ઞાનના પશ્ચિમી વર્ચસ્વને સફળતાપૂર્વક પડકાર કરવાનું સંભવિત લાગતું હતું; પછી બિનસલામતીભરી મતાગ્રહી જુદી જુદી વિચારસરણીય ભંગીઓ ધારણ કરવાનું પીડાભરી રીતે એમને ભાગે આવ્યું અને સાથે સાથે પશ્ચિમી વર્ચસ્વને તોડવામાં નિષ્ફળ જવાયું છે એ અવમાનનાભરી સભાનતા હતી; અને ત્રીજો કાળ આવ્યો જ્યારે નિષ્ફળતાનો સ્વીકાર કરવાનો પણ એમણે નકાર કર્યો – એ વળી વધુ મોટી નામોશી હતી. પણ બોઝની પીડાએ મને બતાવ્યું કે એમના પ્રત્યક્ષ બોધમાં કેટલી સૂક્ષ્મ દૃષ્ટિ રહેલી હતી, એમણે બતાવી આપ્યું કે વિજ્ઞાનની પશ્ચિમી સંસ્કૃતિ અફર નહોતી. વિજ્ઞાનમાં સ્વાયતત્તાની ભારતીય શોધ એ ખરેખર તો યુગોથી વિજ્ઞાનની સ્વાયતત્તા માટે ચાલી આવતા સંઘર્ષનો એક જરા જુદો ભાગ હતો.

પણ રામાનુજનને વશ કરવાનું વધુ મુશ્કેલ હતું. પોતાના વિજ્ઞાનના સાચાપણા વિશે એમને સંપૂર્ણ ખાતરી હતી અને પોતાના વ્યાવસાયિક સાથીદારોને એ માટે સહેજ પણ શંકા ઉઠાવવાનો એમણે અવકાશ ન આપ્યો. એમને ક્યારેય પોતાની જાત સિવાય બીજે પોતાને ન્યાય્ય ઠરાવવાની જરૂરત લાગી નહીં, એ પોતાનો આત્મવિશ્વાસ મંદ્ર સૂરમાં વ્યક્ત કરતા અને એને કદી વિજ્ઞાનના તત્ત્વજ્ઞાનનો મુદ્દો બનાવતા નહીં.

આશિષ નાંદી