કાવ્ય-આચમન શ્રેણી – કૃષ્ણલાલ શ્રીધરાણી/૨૧. પાંખો કાપવી’તી તો...રે... (તીરથનાં ત્રણ ગીતોમાંથી)

From Ekatra Wiki
Revision as of 15:40, 20 September 2023 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨૧. પાંખો કાપવી’તી તો...રે... (‘તીરથનાં ત્રણ ગીતો’માંથી)

પાંખો કાપવી’તી તો... રે...
મોરલાને જનમ કેમ આપ્યો?
હે ! પડઘો ન પાડવો તો... રે...
અંતર સાદ કાં આલાપ્યો?
— જનમ કેમ આપ્યો !
સામી મોલાતમાં દીવડી ફરૂકે,
ફરૂકે મારા અંતરની જ્યોતિ !
હે ! આડી ચણી આ કાચની દીવાલ તો,
લોહની દીવાલ કાં ન રોપી?
— સાદ કાં આલાપ્યો?
પાંખી કાપવી’તી તો...રે...
મોરલાને જનમ કેમ આપ્યો?

(કોડિયાં, પૃ. ૧૦૬-૧૦૭)