દિવ્યચક્ષુ/પ્રારંભિક

From Ekatra Wiki
Revision as of 01:58, 8 December 2023 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

DESAI Ramanlal v.
DIVYACHAKSHU, Novel
R.R.Sheth & Co., Bombay-Ahmedabad

૧૯૯૨

૮૯૧-૪૭૩

ડૉ. અક્ષયકુમાર ર. દેસાઈ

શ્રી ર. વ. દેસાઈ જન્મ શતાબ્દી આવૃત્તિ મે, ૧૯૯૨

મૂલ્ય રૂ. ૬૩-૦૦

પ્રકાશક:
ભગતભાઈ ભુરાલાલ શેઠ, આર. આર. શેઠની કંપની, મુંબઈ ૪૦૦ ૦૦૨, અમદાવાદ ૩૮૦ ૦૦૧

ટાઈપસેટિંગ :
ચંદ્રિકા પ્રિન્ટર, મિરઝાપુર રોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૧

ઑફસેટ મુદ્રણ :
ચિરાગ પ્રિન્ટર્સ, સિટી મિલ કંપાઉન્ડ, રાયપુર દરવાજા બહાર, અમદાવાદ ૩૮૦ ૦૦૧

>

અર્પણ

મારી સ્વર્ગસ્થ પત્નીને
કે
તેનાં સ્મરણોને ?

નયનથી કરી પ્રિયને જુદાં,
લઈ જલાવવાં જો સ્મશાનમાં;
દગથી ઢોળવી અશ્રુ અંજલિ,
જીવન એમ આ જાય છે વહી.
નયનથી છબી લુપ્ત શું થતી?
હૃદય સત્ય તે ના સ્વીકારતું;
રડતું, ખોળતું, નેય થાકતું,
સુઈ જતું ફરી અશ્રુ ઢાળવા.
દિવસ વીતશે, વર્ષ યે જશે,
મુખ પરે વળી સ્મિત આવશે;
જગત જણશે દુઃખ તો ગયું,
પણ ન દુઃખના ઘાવ રૂઝતા.
સ્મરણ સ્નેહીનાં અંતરે છૂપ્યાં,
પ્રગટ તે થતાં મધ્ય રાત્રિએ;
ઉશીકું એકલું સાક્ષી અશ્રુની,
જગત જાણશે દુઃખ તો ગયું!
રમણલાલ વ. દેસાઈ.

>