ઉપજાતિ/અર્પણ

Revision as of 05:10, 3 July 2021 by MeghaBhavsar (talk | contribs)


અર્પણ

સુરેશ જોષી

ઇચ્છા હતી કે કટુ સર્વ ટાળું, ને સારવીને મધુ માત્ર લાવું; એવું કરે કોઈક કાલિદાસ, એની ન મારે ધરવી ય આશ. તો આવ સાથે મળ્યું તે જ માણીએ, માધુર્યના સ્વપ્નનું સ્થાન રાખીએ.