કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/ચાતક પીએ એઠું પાણી

From Ekatra Wiki
Revision as of 01:23, 31 May 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <br> <center><big><big>'''૧૫. ચાતક પીએ એઠું પાણી'''</big></big></center> {{Block center|<poem> અવગતની એંધાણી, એ સંતો, અવગતની એંધાણી, {{gap}} ચાતક પીએ એઠું પાણી! રાજના રાજ એવા મેઘરાજાને ઘર {{gap}} એની પરબ મંડાણી; સોનેરી દોરેથી ને હેમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૫. ચાતક પીએ એઠું પાણી

અવગતની એંધાણી,
એ સંતો, અવગતની એંધાણી,
ચાતક પીએ એઠું પાણી!

રાજના રાજ એવા મેઘરાજાને ઘર
એની પરબ મંડાણી;
સોનેરી દોરેથી ને હેમલા હેલથી
રૂપેરી ધાર રેલાણી :
હે સંતો, તોય તરસ ન છિપાણી
કે ચાતક પીએ એઠું પાણી!

માનસર છોડીને આવ્યો શું હંસલો
માછલીએ મન આણી!
ચતુર ચકોરની ચૂકીને ચાંદની
આગિયે આંખ ખેંચાણી!
હે સંતો, આતમ-જ્યોતિ ઓલવાણી
કે ચાતક પીએ એઠું પાણી!

કળિયુગ કેરો વ્યાપ્યો મહિમા,
સંતની નિષ્ફળ વાણી;
દાસીય ન્હોતી મનમોલમાં એ થઈ
માયા આજ મહારાણી!
હે સંતો, આવે પ્રલય લો જાણી
કે ચાતક પીએ એઠું પાણી!

(રામરસ, પૃ. ૫૯)