કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/તરસ્યો જાય તોખાર

From Ekatra Wiki
Revision as of 01:55, 31 May 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૨૬. તરસ્યો જાય તોખાર

કોઈ અનહદના ઓવારે રે
કોઈ પ્રેમળ પારાવારે રે મારો તરસ્યો જાય તોખાર.

કંઈક સમંદર ખારા વટિયો;
અગનથકી પાછો નવ લટિયો;
રટિયો રે નિજ જોમતણું એ માતમ વારંવારઃ
રે મારો તરસ્યો જાય તોખાર.

જ્યોતતણી ઝલકુંમાં નાયો;
શૂન્યતણે સંચાર સમાયો;
કદમ ન ડગિયા, નેણાં લગિયાં તૃપ્તિતણે તવારઃ
રે મારો તરસ્યો જાય તોખાર.

તરસ ન છીપી અવ લગ, હરિવર!
અશ્વ થયો છે તરવર તરવર;
સરોદ, ક્યાં લગ રહી શકીશ હું અશ્વતણો અસવાર?—
રે મારો તરસ્યો જાય તોખાર.

(સુરતા, પૃ. ૨૧)