નિરંજન ભગત : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/પ્રારંભિક

From Ekatra Wiki
Revision as of 02:37, 23 September 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ગુજરાતી ગ્રંથકાર શ્રેણી : ૨૬



નિરંજન ભગત



સુમન શાહ



સંપાદક  : રમણલાલ જોશી





અંગ્રેજીમાં જુદા જુદા સર્જકો વિશે નાની પુસ્તિકાઓની એક કરતાં વધુ શ્રેણી સુલભ હોય છે. ત્રણચાર ફરમાના આવા લઘુગ્રંથ (મોનોમાફ)માં તે સર્જકપ્રતિભા વિશે જાણવા જેવ બધી વિગતોનો સમાવેશ કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતી સાહિત્યના મહત્ત્વના સર્જકો અને ચિંતકોનો આ શ્રેણીમાં આવરી લેવાનો ખ્યાલ છે. તેમાં મધ્યકાળના તથા અર્વાચીન સમયમાં દલપત-નર્મદયુગથી આરંભી ગાંધીયુગ સુધીના ગણનાપાત્ર બધા લેખકોનો સમાવેશ કરવા ધાર્યો છે. કાંઈક અંશે ઐતિહાસિક સમયક્રમ જાળવીને પુસ્તિકાઓ આપી શકાય તે તો દેખીતું જ ઘણું ઇષ્ટ છે, પરંતુ આ પ્રકારની યોજનાઓમાં સર્વત્ર છે. જે અનિવાર્ય મુશ્કેલીઓ હોય છે તેને કારણે પુસ્તિકાઓ જેમ જેમ તૈયાર થશે તેમ તેમ પ્રકાશિત કરવાની રહેશે. તેમ છતાં પુસ્તિકાઓના પ્રકાશનક્રમમાં જુદા જુદા યુગોનું પ્રતિનિધિત્વ જળવાતું રહે તે યથાશક્ય જોવાશે. પુસ્તિકાઓમાં વિષયનિરૂપણના મુખ્ય દૃષ્ટિકોણ નીચે પ્રમાણે રહેશે  : ગુજરાતી સારસ્વતોના જીવનનો ટૂંક પરિચય, એમની કૃતિઓનો વિવેચનાત્મક ખ્યાલ, એમના સાહિત્યનું મૂલ્યાંકન-પુર્નમૂલ્યાંકન, એમના વિશેના અભ્યાસીઓના અભિપ્રાયોની સમીક્ષા, આપણા સાહિત્યમાં તેમનું સ્થાન, વિગતવાર સંદર્ભસૂચિ.

‘Niranjan Bhagat’ by Dr. Suman Shah in the Series ‘Gujarati Men of Letters’ – Editor Ramanlal Joshi.

ગુજરાતી ગ્રંથકાર શ્રેણી: સંપાદક રમણલાલ જોશી
‘ગુજરાતી ગ્રંથકાર શ્રેણી’ કોપીરાઈટ સુરક્ષિત છે.

© સુમન શાહ

પ્રથમ આવૃત્તિઃ જાન્યુઆરી ૧૯૮૧
પ્રતઃ ૧૦૦૦

કિંમતઃ દસ રૂપિયા

પ્રકાશકઃ
બાબુભાઈ જી. જોષી
કુમકુમ પ્રકાશન
મામુનાયકની પોળ સામે
ગાંધીરોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧
ફોનઃ ૩૬૬૮૨૬

મુદ્રકઃ
નવીનચંદ્ર બી. ઓઝા
શ્યામ પ્રિન્ટર્સ
દરિયાપુર, અમદાવાદ ૩૮૦ ૦૦૧