કાવ્ય-આચમન શ્રેણી – હરિશ્ચન્દ્ર ભટ્ટ/મારા ઉરે કોઈ અબૂઝ વેદના

From Ekatra Foundation
Revision as of 06:38, 2 February 2025 by Meghdhanu (talk | contribs) (Undo revision 83056 by Meghdhanu (talk))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧. મારા ઉરે કોઈ અબૂઝ વેદના

મારા ઉરે કોઈ અબૂઝ વેદના
વર્ષો થયાં અંતર કોરતી હતી;
યુગાન્તરોની અણદીઠ વાંછના
મથી રહી સર્જન પામવા નવાં.
તેં મુગ્ધ મારું ઉર ખોલ્યું, ને મને
માતા! કીધો તેં દ્વિજ, દૈન્ય ટાળિયું.
રહે અધૂરાં અવ ગાન મારાં
ફરીફરી જન્મ લઈ કરું પૂરાં.

(‘સ્વપ્નપ્રયાણ’’, ૧૯૫૯, પૃ. ૧)