બાળ કાવ્ય સંપદા/ઘરનો વાઘ

From Ekatra Foundation
Revision as of 03:17, 11 February 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઘરનો વાઘ|લેખક : ત્રિભુવન વ્યાસ<br>(1888-1975)}} {{Block center|<poem> મેં એક બિલાડી પાળી છે, તે રંગે બહુ રૂપાળી છે, તે હળવે હળવે ચાલે છે, ને અંધારામાં ભાળે છે ! દહીં ખાય, દૂધ ખાય, ઘી તો ચપ ચપ ચાટી જાય; તે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
ઘરનો વાઘ

લેખક : ત્રિભુવન વ્યાસ
(1888-1975)

મેં એક બિલાડી પાળી છે,
તે રંગે બહુ રૂપાળી છે,
તે હળવે હળવે ચાલે છે,
ને અંધારામાં ભાળે છે !

દહીં ખાય, દૂધ ખાય,
ઘી તો ચપ ચપ ચાટી જાય;

તે ઉંદરને ઝટપટ ઝાલે,
પણ કૂતરાથી બીતી ચાલે,

એના ડિલ પર ડાઘ છે,
એ મારા ઘરનો વાઘ છે.