ભજનરસ/જ્ઞાન ગરીબી સાચી

From Ekatra Foundation
Revision as of 05:04, 15 May 2025 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


જ્ઞાન ગરીબી સાચી

જ્ઞાન ગરીબી સાચી સંતો,
જ્ઞાન ગરીબી સાચી,
બિન સમજ્યા સાધુ હોઈ બેઠા,
રૂદિયે હાંડી કાચી રે-
ભેખ લિયા પણ ભેદ ન જાન્યા,
બેલ ફરે જેમ પાણી,
સત્ય શબદ કા મરમ ન લાધ્યા,
પૂજે પથરા પાણી રે–
સુંદર ભેખ બન્યો અતિ લાલા,
ઉપર રંગ લગાયા, કાચી હાંડી ગલ ગઈ માટી
વિરલે નીર જમાયા રે
કરડા તાપ દિયે તો બગડે,
કાચી કામ ન આવે,
સમતા તાપ દિયે તો સુધરે,
જતન કરીને પાવે રે
ભેખ લઈ મુખ મીઠા બોલે,
સબ હું શીશ નમાવે,
કહે ક્બીર સમજ પારખ બિન
હીરો હાથ ન આવે રે-

આત્મજ્ઞાન અને એનો જીવનમાં વિનિયોગ કેવો હોય તે દર્શાવતું આ ભજન છે. જ્ઞાનીનાં પ્રખર સૂર્પીકરણ અને યોગીની ધધખતી ધૂણીને પ્રેમની ચાંદનીમાં ભીંજવી, નિતારી કબીરે આ ‘જ્ઞાન ગરીબી’ શબ્દ આપ્યો છે. જ્ઞાનીને અહનો ભય અને યોગીને સિદ્ધાઈનો. આ બંનેમાંથી બચવાનો માર્ગ સંતોએ શોધી કાઢ્યો. કબીરના આ ટંકશાળી શબ્દ જ્ઞાન-ગરીબી’નો રણકો પછી તો સંતવાણીમાં વારંવાર સંભળાયા કરે છે. જ્ઞાન-ગરીબી સંતની સેવા’ એ સંતોની જીવનવાણી બની ગઈ.

જ્ઞાન ગરીબી... હાંડી કાચી.

જ્ઞાન સાથે નમ્રતા આવે ત્યારે જ જ્ઞાનનું ફળ પાક્યું ગણાય. આંબો ફળે ને નમે એમ શાની રસ-મધુર આત્માનંદથી ભર્યો ભર્યો ઝૂકી પડે. આ સમજણ વિના જેણે સાધુનો વેષ લીધો એ જાણે કાચી માટીના વાસણમાં નીર ભરવા નીકળ્યા હોય એના જેવા છે. આત્મતત્ત્વ જાણ્યા વિના શરીર સાથે જોડાયેલું જીવન કાચી હાંડી જેવું છે. કબીરે એક જગ્યાએ કહ્યું છે :