અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કૃતિ-પરિચય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કૃતિ-પરિચય

‘અધીત: પર્વ-પાંચ: કાવ્યવિચાર’નું આ રીતે ડિજિટાઈઝેશન થઈ રહ્યું છે અને હવે એ દરેક માટે ઓનલાઈન હાથવાગું બને છે એનો આનંદ વ્યક્ત કરું છું. મારા પ્રમુખપદકાળમાં મંત્રીઓના સહકારથી સંપાદિત થયેલા આ પુસ્તકમાં કાવ્યસ્વરૂપ વિશે, કાવ્યની વિવિધ પ્રયુક્તિઓ વિશે અને જુદાં જુદાં કાવ્યસ્વરૂપો ઉપરાંત નોંધપાત્ર સર્જકોનાં કાવ્યસર્જન વિશેના અભ્યાસલેખો સંપાદિત થયાં છે. ‘અધીત: એક’થી આરંભીને અધીત: છેતાલીસ’; એટલે કે ઈસ. ૧૯૭૪-થી ૨૦૨૪-નાં ૫૦ વર્ષમાં પ્રગટ થયેલાં કુલ ૪૬ ‘અધીત’ વાર્ષિક ગ્રંથમાંથી સ્વરૂપ, સર્જક અને વિવિધ પ્રયુક્તિઓ વિશેના અભ્યાસોનું આ સંપાદન રસિકજનો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓને જરૂર ઉપયોગી બનશે તેનો આનંદ છે. એકત્ર ફાઉન્ડેશને ૬૦૦થીયે વધુ પાનાંના આ દળદાર પુસ્તકને ઓનલાઇન મુકવાની તૈયારી દર્શાવી એનો પણ હરખ વ્યક્ત કરું છું.

ગુણવંત વ્યાસ,
પ્રમુખ (૨૦૨૩-૨૪),
ગુજરાતીનો અધ્યાપક સંઘ