અસ્તિ/સર્જક-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પરિચય

લેખક-પરિચય

શ્રીકાન્ત શાહ(જ. 29.12.1936) : ગુજરાતી સાહિત્યના આધુનિકતા-કાળના એક નોંધપાત્ર કવિ, નવલકાર અને એકાંકી નાટકકાર. એમના ‘એક'(1962) નામના કાવ્યસંગ્રહમાં અછાંદસ કાવ્યો છે; એકાંકીકાર તરીકે સામાજિક-મનોવૌજ્ઞાનિક વિષય-વસ્તુ પરનાં મંચનક્ષમ નાટકો એમણે લખેલાં. ‘તિરાડ અને બીજાં એકાંકી'(1972)થી એવા નાટકોના લેખક તરીકે એ જાણીતા થયેલા. ને યુનિવર્સિટીના યુવક-મહોત્સવોમાં એ એકાંકીઓ ઘણાં વર્ષો સુધી ભજવાતાં રહેલાં. શ્રીકાન્ત શાહે સૌથી વધુ ધ્યાન ખેંચેલું એમની લઘુ નવલકથા ‘અસ્તી'(1964 અને બીજી આવૃત્તિ 2006)થી. એક જ પાત્રની નજર સામે દેખાતાં દૃશ્યોનું વર્ણન અને એ પાત્રના એ અંગેના પ્રતિભાવો પર ચાલતી આ કથા વિનાની કથા સંકેતો અને કલ્પનોથી ધ્યાનપાત્ર બનતી રહે છે. એ સમયે આ નવલ ઘણી ચર્ચાસ્પદ બનેલી. શ્રીકાન્ત શાહે ઘણાં વર્ષ મનોવિજ્ઞાનના અધ્યાપક તરીકે કામ કરેલું. વય્ચે કેટલોક વખત એ ‘ગુજરાત સમાચાર’ સાથે પણ સંકળાયેલા.