ઇન્દ્રદેવ ગાયત્રીપ્રસાદ આચાર્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

આચાર્ય ઇન્દ્રદેવ ગાયત્રીપ્રસાદ, ‘આચાર્ય, ‘આનન્દમ્’ (૧૭-૧૧-૧૯૨૬): જન્મ ઊંઝામાં. ૧૯૪૭માં અર્થશાસ્ત્ર સાથે બી.એ., ૧૯૪૯માં એ જ વિષય સાથે એમ.એ., ૧૯પરમાં ‘લઘુવેતન' વિષય પર પીએચ.ડી. હિંદુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન સાથે સંલગ્ન, કાર્ટૂનકલામાં સક્રિય રસ. ‘બે ઘડી ગમ્મત' (૧૯૮૨) એમનો કાર્ટૂનો તેમ જ હળવા વિનોદી લેખોનો સંગ્રહ છે. આ ઉપરાંત ‘આચાર્યની આજકાલ – ભાગ ૧-૨’ (૧૯૮૨) એમનાં કાર્ટૂન-પુસ્તકો છે; અર્થશાસ્ત્ર પર પણ એમનાં પુસ્તકો છે.