ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/મુક્તક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મુક્તક





મુક્તક • ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો • ઑડિયો પઠન: શૈલેશ




જરા તું મારી ઉપર પણ ભરોસો રાખીને તો જો,
શું કામ આ વારે વારે મોકલાવે છે ફિરસ્તાઓ?
સમંદરપારના પંખીને તું દે છે કયો નકશો?
છતાં એ ગોતી લે છે, એની રીતે, એના રસ્તાઓ


કોડિયા પર સૂર્ય તડક્યો, ‘તારી કોને છે ગરજ?
નૂરની નબળી નકલ! જા, જા, ને બીજું કંઈ સરજ...’
ઝંખવાઈ કોડિયું કહે, ‘મુલતવી રાખો, હજૂર,
આ ચુકાદો, આજ રાતે, આપવાની છે અરજ’