એકાંકી નાટકો/કૃષ્ણલાલ શ્રીધરાણી : જીવનક્રમિકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કૃષ્ણલાલ શ્રીધરાણી : જીવનક્રમિકા

1911 : સપ્ટેમ્બર 16, ઉમરાળા (જિ. ભાવનગર)માં જન્મ. માતા લહેરીબહેન પિતા જેઠાલાલ નાગજીભાઈ. પ્રાથમિક શિક્ષણ ઉમરાળામાં. 1922 : 11 વર્ષની વયે દક્ષિણામૂર્તિ ભાવનગરમાં માધ્યમિક શિક્ષણ માટે પ્રવેશ. 1927 : ‘હું જો પંખી હોત’ કુમારમાં પ્રકાશિત પ્રથમ કવિતા. 1929 : ગૂજરાત વિદ્યાપીઠમાં સ્નાતક અભ્યાસ માટે પ્રવેશ. 1930 : દાંડીકૂચ 12મી માર્ચ, 79 સૈનિકોની આગળ જનાર સ્વયંસેવકોની અગ્ર (પાયલટ) ટુકડીમાં પસંદગી પામ્યા. કરાડીમાં ધરપકડ. ત્રણ માસની જેલ. ‘વડલો’ નાટકની રચના. 1931 : વિશ્વભારતી, શાંતિનિકેતન - ઉચ્ચ અભ્યાસ માટે. 1933 : અંગ્રેજી સાથે સ્નાતક થયા. 1934 : ‘કોડિયાં’ (પ્રથમ આવૃત્તિ)નું પ્રકાશન. વધુ અભ્યાસ માટે અમેરિકાગમન. 1935 : ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર સાથે એમ.એ. 1936 : કોલંબિયા યુનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં એમ.એસ. 1940 : સમાજશાસ્ત્ર અને રાજકીય તત્ત્વજ્ઞાન વિષયમાં પીએચ.ડી. 1945 : અમૃતબજાર પત્રિકા (કોલકાતા)માં વિદેશસ્થિત પત્રકાર. 1946 : ભારત પરત. દિલ્હીમાં નિવાસ. અમૃતબજાર પત્રિકા સાથે જોડાયેલા રહ્યા. રાજકોટમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિભાગના પ્રમુખ. 1950 : દયારામ ગીડુમલની પુત્રી સુંદરી સાથે લગ્ન. (લગ્નથી પછી બે સંતાન — અમર અને કવિતા) 1957 : ‘કોડિયાં’ની નવાં કાવ્યો અને નવી ગોઠવણી સાથે સંવર્ધિત આવૃત્તિ, ઉમાશંકર જોશીની ભૂમિકા સાથે. 1958 : રણજિતરામ સુવર્ણચંદ્રક (પ્રદાન મરણોત્તર) 1960 : દિલ્હી મુકામે અવસાન.

1961 : ‘પુનરિપ’ બીજા કાવ્યસંગ્રહનું પ્રકાશન.