કાવ્ય-આચમન શ્રેણી – ઉશનસ્/૬. કેવળ ફરવાને

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૬. કેવળ ફરવાને

ઉશનસ્

કેવળ ફરવાને નીકળ્યો છું જાણે સંધ્યાકાળે,
એક્કે કામ નથી કરવાનું મારે આ જનમારે,

મારે કોને નથી મળવાનું, કોએ પત્ર ન ભેળ્યો,
હું તો આ ધરતી પર આવ્યો કેવળ જોવા મેળો,
ફરતો હું હાટે ને ઘાટે, વ્હોરવું ના કંઈ મારે,
કેવળ ફરવાને નીકળ્યો છું જાણે સંધ્યાકાળે.

પ્રવાહ આ શો જાય વહ્યો, નદ ઊછળંતો બે કૂલ!
કોઈ નથી મોટું, રે મોટું એક જ છે આ પૂર!
બેસું ઘડી ગંગાજમુનાને સંગમકેરે આરે;
કેવળ ફરવાને નીકળ્યો છું જાણે સંધ્યાકાળે.

૨૧-૪-૪૭

(સમસ્ત કવિતા, પૃ. ૬૪)