કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૯.પજવણી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૯.પજવણી

ચિનુ મોદી

થયો ઝાઝો એને સમય પણ, જ્યારે પ્રણયમાં
વફાદરી તૂટ્યે અલગ જ થયાં બેય ઝઘડી.
છતાંયે તે આજે પથ ઉપર ક્યારેક તમને
જતાં જોઉં ત્યારે હૃદય હળવેથી ધબકવું
જતું ભૂલી, શાને ? ઘર તરફ છેલ્લી ‘બસ’ વિશે
જઉં રાત્રે ત્યારે પથ પર તમારું ઘર હજી
નિહાળી લેવાને નજર કરતો બ્હાર, શીદને ?

કરાવે છે કોઈ પરિચય મને સ્હેજ મલકી
તમારાં નામેરીસહ, અવશ આંખો, હૃદય આ
વિવેક ચૂકે કાં ?; કદીક નવરાશે, ફુરસદે
કબાટે, ફંફોસ્યે ગડવળી ગયો પત્ર નીકળ્યે
અચિંત્યાનો શાને ગહનજલમાં હું સરકતો ?

મને આવું પૂછી હૃદય પજવે નિત્ય, તમને
તમારું હૈયું શું કદીય પજવે આ...મ ?
(ઊર્ણનાભ)