કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૫૧. હરખપદૂડાં

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૫૧. હરખપદૂડાં

ચેતન પોતે પોતાને તો
ડાહ્યું-ડમરું સમજે છે;
(પણ) જડ સાચું છે જે તો પ્રભુને
જકડી-પકડી રીઝે છે!
જગત બિચારું પરિવર્તન્તું
માયા-જાળે ડૂલે છે;
પ્રભુની દૃષ્ટિ પડતાંવેંત જ
પ્રેમે અવિરત ઝૂલે છે!
(ત્યારે) જડ ચેતન થઈ, ચેતન જડ થઈ
પ્રભુના ચરણે રાચે છે;
હરખપદૂડો કિંકર હસમુખ
છંદે છંદે નાચે છે!

૩૧ માર્ચ ૨૦૦૩
(એકાન્તિકી, પૃ. ૫૦)