કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૧૬. જલધિમોજ શો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૬. જલધિમોજ શો

પ્રહ્લાદ પારેખ

તૂટો, નવ તૂટો, પહાડ; કણ વા ખરો, ના ખરો :
નહીં જલધિમોજ એ કદીય ચિત્ત ચિંતા ધરે.
પ્રફુલ્લ સુખ, – ઉરગીત સહુ અંગથી નાચતાં, –
વહી સતત કાંઠડે ભીષણ પર્વતે આથડે.

હું યે જલધિમોજ શો, ક્યમ કદીય ચિંતા ધરું :
‘તૂટે મનુજદુઃખનો અડગ શે ઊભો પ્હાડ આ ?’
ઉરે હું લઈ ગીત, ને સ્મિત તણી ધરી દીવડી,
યુગોયુગ તણા પહાડ પર જૈ પડું આથડી !
(બારી બહાર, પૃ. ૯૨)