ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઋષભસાગર-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઋષભસાગર-૨ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ) : તપગચ્છના જૈન સાધુ. જશવંતસાગરની પરંપરામાં વિનોદસાગરના શિષ્ય. ૪ ઉલ્લાસ અને ૩૫ ઢાળના ‘વિદ્યાવિલાસ/વિનયચટ-ચોપાઇ/રાસ’ (ર.ઈ.૧૭૭૪/સં. ૧૮૩૦, ભાદરવા સુદ ૧૫, બુધવાર) તથા ૨૧ ઢાળના સુરતના પ્રેમચંદ શેઠે કાઢેલા સંઘની શત્રુંજય તીર્થયાત્રાને વર્ણવતા ‘પ્રેમચંદસંઘવર્ણન/શત્રુંજય/સિદ્ધાચલ-રાસ’ (ર.ઈ.૧૭૮૭/સં. ૧૮૪૩, જેઠ વદ ૩, સોમવાર; મુ.)ના કર્તા. કૃતિ : સૂર્યપુરરાસમાળા, પ્ર. મોતીચંદ મ. ચોકસી, સં. ૧૯૯૬. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપુગૂહસૂચી. [હ.યા.]