ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનકલશ મુનિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જ્ઞાનકલશ(મુનિ) [ઈ.૧૩૫૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિ-જિનોદયસૂરિના શિષ્ય. ઈ.૧૩૫૯/સં. ૧૪૧૫ના અસાડ સુદ ૧૩ને દિને ખંભાત નગરીમાં અજિતનાથના મંદિરમાં તરુણપ્રભાચાર્યને હાથે જિનોદયસૂરિનો પટ્ટાભિષેક થયો તે વર્ણવતી અને તે પ્રસંગે રચાયેલી જણાતી, રોળા-સોરઠા આદિ છંદોની ૩૭ કડીની ‘જિનોદયસૂરિપટ્ટાભિષેક-રાસ’(મુ.)એ કૃતિના કર્તા. કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ (+સં.); ૨. જૈઐકાસંચય (+સં.). સંદર્ભ : ૧. આકવિઓ : ૧;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩ (૨).[કા.શા.]