ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનસાગર વાચક-૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જ્ઞાનસાગર (વાચક)-૬ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજસૂરિની પરંપરામાં ક્ષમાલાભના શિષ્ય. તેમની ૮ ઢાળની દુહાદેશીબદ્ધ ‘નળદવદંતીચરિત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૨/સં. ૧૭૫૮, જેઠ સુદ ૧૦, બુધવાર; મુ.) દુહામાં ઝડપથી કથાનક કહી જવાની અને ઢાળમાં પ્રસંગજન્ય ઊર્મિનું રસિક નિરૂપણ કરવાની રીતિ તથા તેમાં પ્રગટ થતી કવિની અલંકારરચનાની શક્તિથી ધ્યાન ખેંચે છે. આ ઉપરાંત તેમણે ૩૩ ઢાળની ‘કવયન્ના-ચોપાઈ’ (ર.ઈ.૧૭૦૮/સં. ૧૭૬૪, આસો સુદ ૧૦ ગુરુવાર) તથા ૫-૫ કડીની ૨ ‘શંખેશ્વરપાર્શ્વ-સ્તવન’ એ કૃતિઓ રચેલી છે. કૃતિ : બે લઘુ રાસકૃતિઓ, સં. રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૪. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭-‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા’, અગરચંદજી નાહટા;  ૨. જૈગૂકવિઓ : ૩ (૨). [કા.શા.]