ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દર્શનસાગર ઉપાધ્યાય-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


દર્શનસાગર (ઉપાધ્યાય)-૧ [ઈ.૧૮મી સદી] : અંચલગચ્છના જૈન સાધુ. ઉદયસાગરસૂરિના શિષ્ય. મૂળ નામ દેવશંકર. નલિયા (કચ્છ)ના ઔદીચ્ય બ્રાહ્મણ અને વ્યવસાયે માણભટ્ટ. પત્નીનું અવસાન થતાં ઈ.૧૭૪૭માં દીક્ષા. ઈ.૧૭૫૨માં ઉપાધ્યાયપદ. પિંગળ વગેરેના જાણકાર આ કવિ ઈ.૧૭૭૦ સુધી હયાત હોવાની માહિતી મળે છે. આ કવિનો ૫ ખંડ, ૧૬૭ ઢાળ અને ૬૦૮૮ કડીનો દુહા દેશીબદ્ધ ‘આદિનાથજીનો રાસ’  (ર.ઈ.૧૭૬૮/સં. ૧૮૨૪, મહ-સુદ ૧૩, રવિવાર; મુ.) પ્રથમ તીર્થંકર ઋષભદેવની સમગ્ર જીવનચર્યા ઉપરાંત એમના ૧૨ પૂર્વભવો ને સમગ્ર ભરત-બાહુબલિવૃત્તાંત આલેખે છે ને દૃષ્ટાંત રૂપે આવતી અન્ય કથાઓ પણ વીગતે કહે છે. કથાપ્રચુર આ કૃતિને રાજાનાં લક્ષણો જેવી અનેક માહિતીલક્ષી વીગતો, વનખંડ વગેરેનાં વર્ણનો ને સુભાષિતોથી કવિએ વિશેષ વિસ્તારી છે. આ ઉપરાંત, કવિએ ‘પંચકલ્યાણકની ચોવીસી’ (ર.ઈ.૧૭૬૩; મુ.) અને અન્ય સ્તવનો રચેલાં છે. કૃતિ : ૧. આદિનાથજીનો રાસ, સં. શા. હીરાલાલ હંસરાજ, ઈ.૧૯૨૩;  ૨. અંચલગચ્છ સ્નાત્રપૂજાદિ તપસંગ્રહ, મુ. નિર્ણયસાગર પ્રેસ, ઈ.૧૮૯૭. સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્શ્વ’, ઈ.૧૯૬૮; ૨. જૈન પંરપરાનો ઇતિહાસ : ૨, મુનિશ્રી દર્શનવિજ્ય વગેરે ઈ.૧૯૬૦;  ૩. જૈગૂકવિઓ : ૩(૧).[ર.ર.દ.]