ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દેસાઈભાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


દેસાઈભાઈ [ ] : કૃષ્ણવિષયક કેટલાંક પદોના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [કી.જો.] દેહલ [ઈ.૧૬૨૪ સુધીમાં] : ઉત્તરાને તેડી લાવવા મોકલેલા આણા (‘ઉઝણૂં’)ના પ્રસંગના વિસ્તૃત આલેખનને કારણે ‘અભિવન-‘ઊઝણૂં’(લે.ઈ.૧૬૨૪; મુ.)નામ પામેલું આ કવિનું આખ્યાનકાવ્ય ગુજરાતીમાં અભિમન્યુવિષયક કાવ્યોમાં નાકર પૂર્વેનું અને સૌથી જૂનું - ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ કે ૧૬ સદી પૂર્વાર્ધનું ગણાયેલું છે. ચોપાઈ, ચરણાકુળ અને દોહરાની દેશીના પદબંધની સળંગ ૪૦૬ કડીમાં રચાયેલું આ આખ્યાન મૂળ કથામાં કેટલાક ફેરફાર અને ઉમેરા બતાવે છે, જે પછીના તાપીદાસ, નાકર વગેરે કવિઓને ઉપયોગમાં આવેલા જણાય છે. કરુણરસપ્રધાન આ આખ્યાનમાં કવિની વર્ણનશક્તિ અને તત્કાલીન સમાજનું થયેલું ચિત્રણ ધ્યાન ખેંચે છે. કૃતિ : ૧. અભિવન ઊઝણૂં, સં. શિવલાલ જેસલપુરા, ઈ.૧૯૬૨ (+સં.);  ૨. અભિમન્યુ પૂર્વકથાન્વેષણ, મંજુલાલ ૨. મજમુદાર, ઈ.૧૯૪૪-‘અભિવન ઊઝણૂં’. સંદર્ભ : ૧. અનુસંધાન, હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૭૨ ‘અભિવન ઊઝણૂં’; ૨. કવિચરિત : ૧-૨; ૩. ગુસાઇતિહાસ : ૨;  ૪. ગૂહાયાદી. [ર.સો.]