ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નિત્યલાભ વાચક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


નિત્યલાભ(વાચક) [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છની લાભ શાખાના જૈન સાધુ. વિદ્યાસાગરની પરંપરામાં સહજસુંદરના શિષ્ય. વિવિધ દેશીઓ અને દુહામાં ગુરુગુણ રૂપે લખાયેલો ૧૦ ઢાળનો ‘વદ્યાસાગરસૂરિ-રાસ’ (ર.ઈ.૧૭૪૨/સં. ૧૭૯૮, પોષ-૧૦, સોમવાર; મુ.), ચંદનબાલાના જાણીતા કથાનકને સંક્ષેપમાં આલેખતો ૩ ઢાળનો ‘ચંદનબાલા-રાસ/સઝાય’ (ર.ઈ.૧૭૨૬/સં. ૧૭૮૨, અસાડ વદ ૬, રવિવાર; મુ.), ૪ ગેય ઢાળોમાં રચાયેલ ‘મહાવીર પંચ કલ્યાણકનું ચોઢાળિયું’ (ર.ઈ.૧૭૨૫; મુ.), ૭ કડીનું ‘શીતલનાથજિન-સ્તવન’ (ર.ઈ.૧૭૨૫/સં. ૧૭૮૧, ભાદરવો-મુ.), ૨૪ ઢાળની ‘સદેવંત સાવળિંગાની ચોપાઈ’ (ર.ઈ.૧૭૨૬/સં. ૧૭૮૨, મહા/વૈશાખ સુદ ૭, બુધવાર), ‘જિનસ્તવન-ચોવીસી’ (ર.ઈ.૧૭૧૩; મુ.), ‘વાસૂપૂજ્ય-સ્તવન’ (ર.ઈ.૧૭૨૦), ‘પાર્શ્વ-જિન-સ્તવન’ (ર.ઈ.૧૭૩૮/સં. ૧૭૯૪, ભાદરવા), ૨૭ કડીની ‘નેમિનાથ-બારમાસા’, ૪૭ કડીનું ‘જિનવર-સ્તવન’, ૧૪ કડીની ‘આત્મપ્રતિબોધ-સઝાય’ (મુ.), પાંચથી ૧૧ કડીનાં ‘ગોડીપાર્શ્વનાથનાં સ્તવનો (મુ.), ૧૩ કડીની ‘ચેતનની સઝાય’(મુ.), ૬ કડીનું ‘પ્રભાતિયું’(મુ.), ‘મૂર્ખની સઝાય’ (મુ.) વગેરે કૃતિઓ એમની પાસેથી મળી છે. કવિનાં કેટલાંક સ્તવનો-સઝાયોમાં કચ્છી બોલીની અસર છે. કવિની શૈલીની પ્રાસાદિકતા અને ગેય ઢાળોનો વિશેષ વિનિયોગ ધ્યાનપાત્ર છે. કૃતિ : ૧. ઐરાસંગ્રહ : ૩; ૨. શ્રી ગોડીપાર્શ્વનાથ સાર્ધ શતાબ્દી સ્મારક ગ્રંથ, સં. ધીરજલાલ ટો. શાહ, ઈ.૧૯૬૨; ૩. જૈકાપ્રકાશ : ૧; ૪. જૈગૂસારત્નો : ૧; ૫. જૈપ્રપુસ્તક : ૧; ૬. જૈપ્રાસ્તસંગ્રહ; ૭. જૈરસંગ્રહ; ૮. જૈસસંગ્રહ(ન.); ૯. પ્રાસ્તસંગ્રહ; ૧૦. રત્નસાર : ૨, પ્ર. હીરજી હંસરાજ, સં. ૧૯૨૩; ૧૧ સસંપમાહાત્મ્ય. સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, પ્ર. પાર્શ્વ, ઈ.૧૯૬૮; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. ગુસારસ્વતો; ૪. પાંગુહસ્તલેખો;  ૫. જૈગૂકવિઓ : ૨; ૬. ડિકેટલોગબીજે; ૭. મુપુગૂહસૂચી; ૮. લીંહસૂચી; ૯. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]