ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભુવનકીર્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ભુવનકીર્તિ : આ નામે ૮ કડીનું ‘કાયાજીવ-સંવાદ’ (લે.સં. ૧૮મી સદી અનુ.); ૮/૯ કડીનું ‘નેમિ-ગીત/નેમરાજીમતી-ગીત’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૯ કડીનું ‘બાહુબલિ-ગીત’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૯ કડીનું ‘વયરસ્વામી-ગીત’ (લે. સં. ૧૮મી સદી અનુ.), ૬ કડીનું ‘ઋષભદેવ-ગીત’ (લે. સં. ૧૯મી સદી), ‘પાર્શ્વનાથલઘુ-સ્તવન’, ૮ કડીનું ‘આત્મ-ગીત’, ૯ કડીનું ‘શંખેશ્વર પાર્શ્વ-સ્તવન’ એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા એક છે કે જુદા તે નિશ્ચિત થઈ શકતું નથી. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭-‘શંખેશ્વર તીર્થ સમ્બન્ધી સાહિત્યકી વિશાલતા’, અગરચંદ નાહટા;  ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપૂગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ગી.મુ.]