ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મધુસૂદન-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મધુસૂદન-૧ [ઈ.૧૬મી સદી] : પદ્યવાર્તાકાર. જ્ઞાતિએ બ્રાહ્મણ. અવટંકે વ્યાસ. ખેડા જિલ્લાના સારસામાં એમણે પોતાની કૃતિની કથા કરેલી એવો નિર્દેશ કૃતિમાં જ મળતો હોવાથી સારસા એમનું વતન હોવાનું અનુમાન થયેલું છે. એમની કૃતિ ‘હંસાવતી વિક્રમકુમાર-ચરિત્ર/હંસાવતીવિક્રમચરિત્ર-ચોપાઈ/વિવાહ’(મુ.)ની વિવિધ હસ્તપ્રતો ઈ.૧૩૬૦/સં.૧૪૧૬, શ્રાવણ સુદ/વદ ૩, રવિવાર; ઈ.૧૫૫૦; ઈ.૧૫૬૦/સં.૧૬૧૬ રચનાવર્ષ તરીકે નભી શકે તેમ નથી. બાકીનામાંથી કૃતિમાંના કેટલાક ઐતિહાસિક સંદર્ભોને તેમ જ કૃતિની ભાષાને લક્ષમાં લઈ ઈ.૧૫૬૦નું રચનાવર્ષ વધુ આધારભૂત મનાયું છે. એટલે કવિને પણ ઈ.૧૬મી સદીમાં હયાત ગણી શકાય. ત્રંબાવતીની રાજકુંવરી હંસાવતી અને ઉજ્જયિનીના રાજા વિક્રમાદિત્યના પુત્ર વિક્રમચરિત્ર વચ્ચેના પ્રણય-પરિણયને આલેખતી કવિની આ પદ્યવાર્તા તેની રસાળ શૈલી અને અન્ય વિશિષ્ટતાઓને લીધે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની લોકપ્રિય કૃતિ હોવાનું દેખાય છે. ઈ.૧૫૬૦માં મધુસૂદને રચેલી ‘સિંહાસન-બત્રીશી’ મળે છે તે આ કવિની જ છે કે કેમ એ માટે અત્યારે આધારભૂત રીતે કંઈ કહી શકાય એમ નથી. કૃતિ : હંસાવતી વિક્રમચરિત્ર-વિવાહ, સં. શંકરપ્રસાદ છ. રાવલ, ઈ.સ.૧૯૩૫ (+સં.). સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ; ૩. ગુસામધ્ય; ૪. ગુસારસ્વતો; ૫. પ્રાકકૃતિઓ;  ૬. આલિસ્ટઑઇ : ૨; ૭. ગૂહાયાદી; ૮. ડિકૅટલૉગભાવિ; ૯. ફાહનામાવલી : ૨. [ર.સો.]