ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નસિંહ સૂરિ શિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


રત્નસિંહ(સૂરિ)શિષ્ય [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : બૃહત્ તપગચ્છના જૈન સાધુ. ૧૭ કડીની ‘આગમગચ્છ પટ્ટાવલી’(મુ.), ૧૧૨ કડીનો ‘જંબૂસ્વામી-રાસ’ (ર.ઈ.૧૪૬૦/સં. ૧૫૧૬, બીજો શ્રાવણ-૧૧, સોમવાર), ૧૦ કડીનું ‘(મગૂડીમંડન) પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૪૬૦), મણિચૂડશેઠના પુત્ર રત્નચૂડની કથા દ્વારા દાનનો મહિમા સમજાવતો અવાંતર કથાઓવાળો, ૩૪૧/૪૨૫ કડીનો ‘ કડીનો ‘રત્નચૂડમણિચૂડ-રાસ’ (ર.ઈ.૧૪૫૩/સં. ૧૫૦૯, ભાદરવા વદ ૨, ગુરુવાર; મુ.), ૨૫૭ કડીનો ‘સુદર્શનશ્રેષ્ઠિ શીલપ્રબંધ’ (ર.ઈ.૧૫૧૫/સં.૧૫૭૧, જેઠ સુદ ૪, ગુરુવાર) ૩૪ કડીનું ‘સમોસરણ વર્ણન’ (*મુ.), ૬૪ કડીની ‘(રાધિકા) કૃષ્ણબારમાસા, ‘ગિરનારતીર્થમાલા’(મુ.), ‘દ્વાદશવ્રતનિયમ-સાર’ તથા પ્રાકૃતમાં ૮૧ કડીની ‘ઉપદેશમાલા કથાનક-છપ્પય’(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. રત્નચૂડરાસ, હરિવલ્લભ ચૂ. ભાયાણી, ઈ.૧૯૭૭;  ૨. પસમુચ્ચય; ૩. પ્રાગૂકાસંગ્રહ : ૧; ૪. પ્રાતીસંગ્રહ : ૧; ૫. ગુજરાતી, દીપોત્સવી અંક, ૨૦૦૪-‘રત્નસિંહસૂરિકૃત સમોસરણ વર્ણન’-. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૧, ૨; ૨. ગુસારસ્વતો; ૩. જૈસાઇતિહાસ; ૪. મરાસસાહિત્ય;  ૫. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૭૧-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસસન્દોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. જૈહાપ્રોસ્ટા; ૮. ડિકૅટલૉગભાવિ; ૯. મુપુગૂહસૂચી; ૧૦. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]