ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભ/વલ્લભદાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


વલ્લભ/વલ્લભદાસ : વલ્લભને નામે ‘અષ્ટઉપાધિ’, ૬૬ કડીની ‘ગોકુળ લીલા’ તથા પુષ્ટિમાર્ગીય સાંપ્રદાયિક અસરવાળાં કૃષ્ણભક્તિનાં ઘણાં ધોળ-પદ(મુ.) મળે છે, જેમાંનાં કેટલાંક વ્રજમાં છે. વલ્લભદાસને નામે ૫૫ કડીનું ‘વ્રજપરિક્રમાનું ધોળ’(મુ.), ગુજરાતી-વ્રજમાં રુક્મિણીવિવાહનાં ને ગોકુલેશ પ્રભુની મહિમાનાં પદ (કેટલાંક મુ.) તથા ‘રામરાજિયો’ મળે છે. આ કૃતિઓના કર્તા કયા વલ્લભ/વલ્લભદાસ છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : શ્રી ગોકુલશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬; ૨. પુષ્ટિપ્રસાદી, પ્ર. ચંદ્રવદન મો. શાહ, ઈ.૧૯૬૬ (બીજી આ.); ૩. પ્રાકાસુધા : ૨; ૪. રુક્મિણીવિવાહનાં પદ, પ્ર. પંડ્યા બ્રધર્સ, ઈ.-; ૫. વ્રજ્યાત્રાદર્શન, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૮૩ (બીજી આ.) સંદર્ભ : ૧. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭ - ‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી;  ૨. ગૂહાયાદી; ૩. ફાહનામાવલિ : ૨. [ર.સો.]