ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શાંતિવિજય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


શાંતિવિજય : આ નામે ૪ ઢાળની ‘સાસુવહુની સઝાય’ (ર.ઈ.સંભવત: ૧૭૯૩/સં. ૧૮૪૯, ભાદરવા વદ ૧, મંગળવાર; મુ.), ૭ કડીનું ‘સીમંધરજિન-સ્તવન’ (લે.ઈ.૧૭૮૧), ૩૪૨૫ કડીનો ‘ભવભાવનાપ્રકરણવાર્તિક’ (લે. ઈ.૧૮૨૬), ૭ કડીનું ‘પાર્શ્વજિન-સ્તવન’ (લે. ઈ.૧૮૪૩), ‘સપ્તતિકાકર્મગ્રંથબાલાવબોધ’ (લે. સં. ૧૭મું શતક અનુ.), ૫ ડીની ‘અધ્યાત્મ-સઝાય’ (લે. સં. ૧૮મું શતક અનુ.), ૫ કડીની ‘જીવપ્રતિબોધ-સઝાય’ (લે. સં. ૧૯મું શતક અનુ.), ૬ કડીની ‘ગહૂંલી’, ‘પંચમહાવ્રત-સઝાય’ અને ૨૦ કડીનું ‘શાંતિજિન-સ્તવન’ (મુ.) - એ કૃતિઓ મળે છે. ‘સપ્તતિકાકર્મગ્રંથ-બાલાવબોધ’ના કર્તા શાંતિવિજય-૧ હોવાની સંભાવના છે. અન્ય કૃતિઓના કર્તા કયા શાંતિવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧, ૨. પ્રાસ્તસંગ્રહ. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]