ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શુભવિજ્ય-૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


શુભવિજ્ય-૩ [જ.ઈ.૧૭૩૨/સં.૧૭૮૮, આસો વદ ૧૩] : તપગચ્છના જૈન સાધુ. ક્ષમાવિજ્યની પરંપરામાં જસવિજ્યના શિષ્ય. પિતાનું નામ રહિદાસ ગાંધી. માતાનું નામ રાજકોર. વીરગામના વીસા શ્રીમાળી વાણિયા. મૂળનામ મહીદાસ. જસવિજ્યને હાથે ઈ.૧૭૫૦/સં.૧૮૦૬, ચૈત્ર-૫ના દિવસે ખંભાતમાં દીક્ષા. દીક્ષાનામ શુભવિજ્ય. ૧૨ કડીની ‘નેમનાથ/મૌન એકાદશીનું સ્તવન’(મુ.), ૧૬ કડીનું ‘શાશ્વતાચૈત્યોનું ચૈત્યવંદન’(મુ.), ૧૮ કડીનું ‘સિદ્ધાચલ-સ્તવન’(મુ.), ૯ કડીનું ‘સીમંધર-સ્તવન’(મુ.) તથા ૧૦ કડીની ‘ગહૂંલી’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ગંહૂલી સંગ્રહનામા : ૧, પ્ર. ખીમજી ભી. માણક, ઈ.૧૮૯૧; ૨. ચૈસ્તસંગ્રહ : ૧; ૨. જિભપ્રકાશ; ૪. જિસ્તકાસંદોહ : ૨; ૫. જૈકાપ્રકાશ : ૧; ૬. જૈપ્રાસ્તસંગ્રહ; ૭. સસન્મિત્ર(ઝ). સંદર્ભ : ૧. પંડિત વીરવિજ્યકૃત પૂજાઓ આદિ પ્રભુપૂજાગર્ભિત ભક્તિધર્મ વિનતિરૂપ અરજી, પ્ર. અમદાવાદ વિદ્યાશાળા, સં. ૧૯૩૮;  ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]