ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સમયરાજ ઉપાધ્યાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સમયરાજ (ઉપાધ્યાય) [ઈ.૧૬૦૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં જિનસિંહસૂરિના શિષ્ય. સમયસુંદરના વિદ્યાગુરુ. ૭૪ કડીની ‘જિનધર્મમંજરી/ધર્મમંજરી-ચતુષ્પદિકા’ (ર.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, મહા સુદ ૧૦), ૨૨ કડીની ‘ચતુર્વિંશતિ તીર્થંકરનામ સ્વ-સ્વોત્પત્તિ નગરી પ્રમુખ સપ્તપ્રકાર’, ૪૪ કડીની ‘શ્રાવક-ચોપાઈ’, ૧૪ કડીની ‘શત્રુંજ્ય-ઋષભ-સ્તવન’, ‘પર્યુષણ-વ્યાખ્યાન પદ્ધતિ’ તથા સંસ્કૃતમાં ‘અવચૂરી’ અને કેટલાંક સ્તવનો એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. યુજિનચંદ્રસૂરિ;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]