ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સિંહકુશલ-સંઘકુલ-સિંઘકુલ-સિંહકુલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સિંહકુશલ/સંઘકુલ/સિંઘકુલ/સિંહકુલ [ઈ.૧૫૦૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં જ્ઞાનશીલના શિષ્ય. ૧૭૨ કડીની ‘નંદ-બત્રીશી’ (ર.ઈ.૧૫૦૪; મુ.), ૪૨ કડીની ‘સ્વપ્ન બહોતેરી/સ્વપ્નવિચાર-ચોપાઈ/સ્વપ્નાધ્યાય’ (ર.ઈ.૧૫૦૪; મુ.), ‘પંચદંડ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૦૪) તથા ગુરુ, અધ્યાત્મ, જીવદયા, નેમિનાથ અને શીલ પરનાં ૧૫ ગીતોનાં કર્તા. ‘નંદ-બત્રીશી’ ભૂલથી હેમવિમલસૂરિને નામે મુદ્રિત થઈ છે. કૃતિ : ૧. સમાધિશતકમ્, સં. વી. પી. સિંધી, ઈ.૧૯૧૬;  ૨. બુદ્ધિપ્રકાશ, મે ૧૯૧૬-‘હેમવિમલસૂરિરચિત નંદબત્રીસી’. સંદર્ભ : ૧. ઇતિહાસની કેડી, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૫; ૨. કવિચરિત : ૧-૨; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતો; ૬. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. , ફેબ્રુ., માર્ચ ૧૯૪૪-‘વિક્રમાદિત્ય સંબંધી જૈન સાહિત્ય’, અગરચંદ નાહટા;  ૭. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૮. ડિકૅટલૉગભાવિ; ૯. મુપુગૂહસૂચી; ૧૦. લીંહસૂચી; ૧૧. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]