ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/ષોડશગ્રન્થો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ષોડશગ્રન્થો : પુષ્ટિમાર્ગ પ્રવર્તક વલ્લભાચાર્ય દ્વારા આ સોળ ગ્રન્થોની રચના કરવામાં આવી છે. આ ગ્રન્થોને ભક્તિપ્રધાન લઘુરચનાઓ કહી શકાય. તે સરળ સંસ્કૃત ભાષામાં રચાયેલી છે. એક રીતે તો તેને પુષ્ટિમાર્ગના સિદ્ધાન્તોની લોકોપયોગી આવૃત્તિ જ કહી શકાય. અહીં એક પ્રકારની તર્કબદ્ધ વિચાર-સરણી રહેલી છે. આ ષોડશગ્રન્થોમાં યમુનાષ્ટક, બાલબોધ, સિદ્ધાન્તમુક્તાવલી, પુષ્ટિપ્રવાહમર્યાદા, સિદ્ધાન્તરહસ્ય, નવરત્ન, અન્ત-કરણપ્રબોધ, વિવેકધૈર્યાશ્રય, પંચપદ્ય, સંન્યાસનિર્ણય, કૃષ્ણાશ્રય, ચતુ :ધોકો, ભક્તિવર્ધિની, જલભેદ, સેવાફલ અને નિરોધલક્ષણનો સમાવેશ થાય છે. સી.બી.રા.